સરકારીશ્રી દ્વારા હોસ્પિટલમાં અપાતી સેવાઓના નજીવા દરો નક્કી કરી જાહેર જનતા જોગ સર્ક્યુલર બહાર પાડવા સરકારમાં માંગ
રૂમ ચાર્જ, બેડ ચાર્જ, નર્સ ચાર્જ જેવા અન્ય ચાર્જો થઇ અંદાજે પ્રતિદિન રૂપિયા ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ દવા સિવાયના ચાર્જો
આર્થિક શક્તિ બહાર હોઈ ભરપાઈ કરી શકે તેમ શક્ય ન હોઈ અને તે ભય થી કોરોના સારવાર અર્થે ખાનગી દવાખાના/હોસ્પિટલમાં જતા અચકાય છે - રોજ દિહાડી વર્ગ
રજૂઆત અરજી : DOWNLOAD
ગત વર્ષ ૨૦૨૦, ફેબ્રુઆરી માસથી ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે. તેની અસર ગુજરાતની જનતા ઉપર થયેલ છે જેના કારણે રોજ દિહાડી વર્ગ તથા મધ્યમ પરિવાર ૧ વર્ષ કરતા વધુ સમયથી નોકરી કે છૂટક મજુરી ન મળતા રોજ દિહાડી તથા મધ્યમ વર્ગ આર્થિક રીતે તૂટી ગયેલ છે.
સમગ્ર ભારત સહીત ગુજરાતમાં કોરોના
ગ્રસ્ત દર્દીઓ આ મહામારીનો સામનો કરી રહ્યા છે. અને રાજ્ય સરકારો તથા કેન્દ્ર
સરકારે કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરવા અર્થે મદદરૂપ થવા ખડે પગે ઉભી છે.
તેવામાં દર્દી ભગવાન સમાન ડોકટરને ગણતા હોવા છતાં ડોકટરો દ્વારા ભારતીય બંધારણ
મુજબ મહામારીમાં સેવા કે મદદરૂપ થવા ના બદલે દર્દીઓને એડ્મિટ કરી જુદાજુદા
પ્રકારના ચાર્જો જેવા કે રૂમ ચાર્જ, બેડ ચાર્જ, નર્સ ચાર્જ જેવા અન્ય ચાર્જો થઇ
અંદાજે પ્રતિદિન રૂપિયા ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ દવા સિવાયના ચાર્જ ગરીબ નિરાધાર
મધ્યમ રોજ દિહાડી વર્ગ પરિવાર પાસેથી વસુલવામાં આવે છે. અને સદર દર્દીની સારવાર
દરમ્યાન વાપરતા ઇન્જેક્શન અને ટેબલેટ પણ ડિસ્કાઉન્ટ કે લેસ કર્યા વગર પ્રિન્ટ ટુ
પ્રિન્ટ ભાવ લેવામાં આવે છે.
કોરોના સારવાર આપતી હોસ્પિટલોના મોંઘા
ચાર્જો તથા છુપા ખર્ચાઓ સાંભળી ગરીબ નિરાધાર મધ્યમ વર્ગ તથા રોજ દિહાડી વર્ગ
પરિવારના ચેપગ્રસ્ત ઈસમો ૩ થી ૪ દિવસ ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ રહે તો દવા
સિવાયના હોસ્પિટલ ચાર્જો કે જે તેમની આર્થિક શક્તિ બહાર હોઈ ભરપાઈ કરી શકે
તેમ શક્ય ન હોઈ અને તે ભય થી કોરોના સારવાર અર્થે ખાનગી દવાખાના/હોસ્પિટલમાં જતા
અચકાય છે જેથી હોમ કોરન્ટાઇન થયેલા દર્દીઓ યોગ્ય સારવારથી વંચિત રહે છે જેના
કારણે સરકારશ્રીએ લીધેલા કોરોના માટેના નક્કર પગલા પણ અ-સફળ થઇ રહ્યા છે.
આમ, દરેક ખાનગી દવાખાના/હોસ્પિટલમાં ડોક્ટરોએ
તેમની મરજી અને મનફાવે તેમ અને સરકારશ્રીની કર ચોરી કરી સરકારી તિજોરીને
ગંભીર પ્રમાણેનું નુકસાન પોહચાડી GST વગરના ખાનગી અને
સાદા ચિઠ્ઠી પર કાચા બીલો થી સદર કોરોના
બીમારી અંતર્ગત સારવાર ચાર્જ વસુલ કરે છે તેમજ વધુ ચેપગ્રસ્ત ગરીબ મધ્યમ વર્ગ તથા
રોજ દિહાડી વર્ગ દેવું કરીને પોતાની સારવાર કરાવે છે. જેથી નામદાર સરકાર દ્વારા
તાજેતરમાં કોરોના રેમીડેસીવર ઈન્જેકસન તથા કોરોના વેક્સીનના ખાનગી દવાખાનાઓમાં
નિયત ભાવો/ચાર્જ નક્કી કરેલ છે તે મુજબ આ કપરી કોરોના મહામારીને ધ્યાને લઈ
ખાનગી દવાખાના/હોસ્પિટલો પણ કોરોના ગ્રસ્ત દર્દીના સારવાર દરમ્યાનનું ખર્ચ જેવું
કે રૂમ ચાર્જ, બેડ ચાર્જ, નર્સ ચાર્જ જેવા અન્ય ચાર્જો તથા સારવાર પાછળ વપરાતી
દવાઓની વ્યાજબી તથા નિયત કિંમત નક્કી કરી નામદાર સરકારશ્રી દ્વારા જાહેર
જનતા જોગ સર્ક્યુલર બહાર પાડી ગરીબ નિરાધાર મધ્યમ વર્ગ રોજ દિહાડી વર્ગ
પરિવારોને સદર કોરોના વાયરસ સામે સારવાર કરવા મદદરૂપ વા જાફર જે. દિવાન, પ્રમુખ :
સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટ ના દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી અને
ગુજરાત વિરોધપક્ષ નેતાને રજૂઆત કરવામાં આવી.
તેમજ ખાનગી દવાખાના/હોસ્પિટલોમાં મુખ્યમંત્રી
“માં” અમૃતમ કાર્ડ તથા આયુષ્માન ભારત કાર્ડ સ્વીકારવાનો અને સદર કાર્ડોમાં
કોરોના સારવાર અંગેના હોસ્પિટલ તથા દવાઓના ખર્ચા બાદ કરવા અંગેની તાકીદે
ગાઈડલાઈન્સ બહાર પાડી ગુજરાતની જનતા તથા ગરીબ નિરાધાર મધ્યમ રોજ દિહાડી વર્ગ
પરિવારોને મદદરૂપ થવા વિનંતી.
જાફર
દિવાન
પ્રમુખ:
સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટ
નકલ
રવાના
:

